સ્ટેચ્યૂ ઓફ યુનિટી | Statue of Unity

સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ વિશેષ

- 2400(ટોટલ 2900) કરોડના ખર્ચ સાથે 182 મીટરની સૌથી ઉંચી પ્રતિમાનો વિશ્વ રેકોર્ડ.

- ગેલેરીમાંથી 3000 પર્યટકો ડેમ સાથે વિધ્યાંચલની પર્વતમાળાઓ નિહાળી શકશે.

- સરદારે સેવેલું ડેમનું સ્વપ્ન તેમના હૃદયમાંથી જોવાની તક મળે તેવી ભવ્ય વ્યુ ગેલેરી.

- એક સાથે 200થી વધારે પ્રવાસી વ્યુ-ગેલેરીનો લાભ મેળવશે.

- 182 મીટર એટલે લગભગ 50 માળ જેટલી ઉંચી પ્રતિમાની ગેલેરી સુધી પહોંચવા લિફ્ટમાં માત્ર સાત સેકેન્ડ થાય છે.

- પ્રતિમાને વિરાટ કદમાં અનેક એક્ઝિશન હૉલ, થિયેટરો, કાયમી પ્રદર્શનો સાથે ગુજરાતની આઝાદીનું ઈતિહાસ પ્રદર્શન તરીકે રહેશે.

- આઝાદીના સેનાપતિઓનું મોટુ સન્માન ગણાવી શકાય તેવું વિશ્વનું ધ્યાન કેન્દ્રિત થાય તેટલું સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું વિશાળ કદ.

- 70 હજાર ટન સીમેન્ટ, 25 હજાર ટન સ્ટીલ, સાથે કાશ્યના આવરણ સાથે બનેલી આ પ્રતિમાનું કુલ વજન 1700 મેટ્રિક ટન જેટલું અંદાજ્યું છે.

- સરદારની જન્મજંયતિના દિવસે આ પ્રવાસન સ્થળ પર ફ્લાવર ગાર્ડન, બોટિંગ, અનેક હોટલ, સરકારી ભવન, ફૂડપાર્ક, ઈલેક્ટ્રિક સંચાલિત મોટર- વાહન વ્યવસ્થા, રોશની વગેરે મુખ્ય આકર્ષણો રહેશે.

- સરદાર સરોવર ડેમ સાઈટ હવેથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આગળ ઓળખ મેળવશે, કેમકે તેના પાયામાં ગુજરાતની ગામેગામેથી માટી તથા સ્ટેચ્યૂ બનાવવા માટે ખેડૂતોએ આપેલું લોખંડ સામેલ કર્યું છે. જેમા સાચી એકતાનો ભાવ જોડવામાં આવ્યો છે.

- મુળ સાધુ બેટ પર જ્યાં આ પ્રતિમા બની છે તેનો રસપ્રદ ઈતિહાસ આ છે કે સતત વહેતી નર્મદા નદી પર આ એકમાત્ર ટેકરી‘ બેટ’ તરીકે પૂર સમયે પણ બહાર રહેતી અને ત્યાં પ્રક્રિયા પથ પર સાધુઓ નિવાસ કરતા તેમ તે સાધુબેટ તરીકે પ્રચલિત બની.

- હવે વાહ તાજ નહી વાહ સરદાર પ્રચલિત થશે, વિશ્વના પ્રવાસીઓ માટે વડોદરા એરપોર્ટથી કેવડિયા સુધીનો નવો રસ્તો તથા આસપાસના પ્રવાસધામોને જોડતો ટુરીઝમ રૂટ તૈયાર કરાશે, જેમાં ગુજરાતના મુખ્ય શહેરોને જોડવામાં આવશે.

- પ્રતિમાના વ્યું પોઈન્ટ પરથી ફ્રન્ટ અને બેક આમ બંને વ્યૂ જોઈ શકાય છે.

- વિશ્વની બાકીની પાંચ પ્રતિમાઓમાં ચીન અને જાપાનમાં ભગવાન બુદ્ધની પ્રતિમાઓ છે. એટલે કે કુલ 6 પ્રતિમાઓમાંથી ત્રણ પ્રતિમા અને બે મહાપુરુષો ભારતની ધરતીપર પેદા થયા છે.

- બુદ્ધની પ્રતિમા પાંચસો વર્ષ પછી બની જ્યારે સરદાર પટેલની પ્રતિભા અને પ્રતિમા માત્ર 100 વર્ષમાં જ વિશ્વસનીય બની.

- રાત્રિ રોકાણ માટે ટેન્ટસીટીનું કાયમી ધોરણે આયોજન છે જે એક સાઈડ ડેમ તથા અન્ય જગ્યાઓ પર કાયમી ધોરણે વિકસિત કરાશે.

- સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતનો સરદાર મંત્ર આ સ્મારક પૂર્ણ કરવા પ્રયાસ થશે. જેના કારણે વિશ્વમાં એકતાની ભાવના વધશે.

સ્ટેચ્યૂ વિશે

ઊંચાઈ - 182 મીટર

પૉડિયમની ઊંચાઈ - 25 મીટર

સ્ટેચ્યૂની ઊંચાઈ - 157 મીટર

દર્શનીય ગૅલરીની ઊંચાઈ- 110 મીટર

કૉંક્રીટનો જથ્થો - 1,40,000 ઘનમીટર

રિઇન્ફોર્સ્ડ સ્ટીલનો જથ્થો - 16500 મેટ્રિક ટન

સ્ટ્રકચરલ સ્ટીલ - 4700 મેટ્રિક ટન

સિમેન્ટ વપરાશ - 70000 મેટ્રિક ટન

કાંસાનો વપરાશ - 2000 મેટ્રિક ટન

સ્ટેચ્યૂ સર્ફેસ વિસ્તાર - 21099 ચો. મીટર

STATUE OF UNITY:

માત્ર 10 પોઈન્ટ્સમાં જાણો સરદારના વિરાટ સ્ટેચ્યુની દરેક વિગત

સરદાર પટેલના મહાકાય સ્ટેચ્યુનું આજે અનાવરણ થવાનું છે. ત્યાર બાદ દુનિયાનું સૌથી ઊંચુ 182 મીટર ઊંચુ સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકોને નિહાળવા માટે ખુલ્લુ મૂકાશે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ સ્ટેચ્યુનુ અનાવરણ થશે. ત્યાર બાદ 1 નવેમ્બરથી સ્ટેચ્યુ સામાન્ય નાગરિકોને જોવા મળશે

1. 2989 કરોડના ખર્ચે આ સ્ટેચ્યુ લાર્સન એન્ડ ટ્રુબ્રો કંપની દ્વારા બનાવાયું છે. મૂર્તિ એક કોમ્પોઝિટ પ્રકારનું સ્ટ્રક્ચર છે, અને સરદારની મૂર્તિની ઉપર બ્રોન્ઝનું ક્લીયરિંગ છે. એટલે કે મૂર્તિની સ્કીન બ્રોન્ઝની બનેલી છે. આ પ્રોજેક્ટમાં એક લાખ 70 હાજર ક્યુબિટ મીટર કોન્ક્રીટ લાગ્યું છે. સાથે જ 2000 મેટ્રિક ટન બ્રોન્ઝનો પણ ઉપયોગ કરાયે છે. 5700 મેટ્રિક ટન સ્ટ્રક્ચરલ સ્ટીલ અને 18500 મેટ્રિક ટન રિઈનફોર્સમેન્ટ બાર્સનો ઉપયોગ કરાયો છે. આ મૂર્તિ 22500 મેટ્રિક ટન સિમેન્ટમાંથી બની છે.  

2. જો તમે 5.6 ઈંચની હાઈટ ધરાવો છો, તો વિશાળકાળ સ્ટેચ્યુ તમારાથી 100 ગણુ ઊંચુ છે. 

3. સ્ટેચ્યુમાં બે હાઈ-સ્પીડ લિફ્ટ લગાવાઈ છે, જે મુલાકાતીઓને સરદાર પટેલની છાતીના ભાગ પર બનાવાયેલી વ્યૂઈંગ ગેલેરી સુધી લઈ જશે. આ ગેલેરમાં એકસાથે 200 લોકો ઉભા રહી શકશે. સ્ટેચ્યુ જે સ્થળે બનાવાયેલું છે, તે સ્થળ બર્ડ વોચિંગ માટે ઉત્તમ ડેસ્ટિનેશન છે. જે સાતપુડા અને વિંધ્યની પર્વતમાળાઓથી ઘેરાયેલું છે

4. આ પર્વતીય વિસ્તારમાં સરકારે આજુબાજુ ઈકો ટુરિઝમ ડેવલપ કર્યું છે. જ્યાં થ્રીસ્ટાર હોટલ સુવિધા, મ્યૂજિયમ, ઓડિયો-વિઝ્યુઅલ ગેલેરી જેવી અનેક સુવિધાઓ છે. 

5. સરદાર પટેલનું આ સ્ટેચ્યુ બનાવવું એન્જિનિયરિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણુ ચેલેન્જિંગ હતું. માત્ર 182 મીટરની હાઈટ જ નહિ, પરંતુ નર્મદા નદીની વચ્ચોવચ આવેલા લોકેશન પર સરદાર પટેલના વોકિંગ પોઝનું સ્ટેચ્યુ બનાવવું પેટને આંટા લાવી દે તેવું કામ હતું. પ્રતિમા પર 6.5ની તીવ્રતાના ભૂકંપ તથા 220ની ઝડપે ફૂંકાતા પવનની અસર નહિ થાય. પ્રતિમાના નિર્માણમાં 85 ટકા તાંબુ ઉપયોગમાં લેવાયું હોવાથી હજારો વર્ષો સુધી કાટ નહીં લાગે.

6. નોઈડા બેઝ્ડ મૂર્તિકાર રામ.વી.સુતારે આ સ્ટેચ્યુ ડિઝાઈન કર્યું છે. જેમાં તેમણે ખાસ ધ્યાન રાખ્યું હતું કે, સરદાર પટેલના ચહેરાના હાવભાવ વ્યવસ્થિત રીતે અંકાય. આ માટે તેમણે આર્કાઈવમાંથી 2000 જેટલા ફોટોગ્રાફ્સનો અભ્યાસ કર્યો હતો. ઈતિહાસમાં જેમને લોખંડી પુરુષ વર્ણવાયા છે, તેમનો લોખંડી હાવભાવ બતાવવું સૌથી મોટી ચેલેન્જ હતી. દૂરથી જોઈએ, તો સરદાર પટેલ સરદાર સરોવર ડેમ તરફ ચાલી રહ્યા છે તેવું ભાસે છે. 

7. ગુજરાત સરકાર દ્વારા મુસાફરો માટે કેવડીયા ટાઉનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે 3.5 કિલોમીટર લાંબો હાઈવે બનાવાઈ રહ્યો છે. આ મૂર્તિ નર્મદા નદીના સાધુ નામના ટાપુ પર બની છે, જે ડેમથી 3.2 કિલોમીટર દૂર છે. અહીં બોટ રાઈડ પણ લઈ શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે. 

8. આ પ્રતિમાની ખાસિયત એ છે કે, તેને બનાવવા માટે દેશભરના ખેડૂતો પાસેથી લોખંડ એકઠું કરાયું હતું.

9. સરદાર સરોવર બંધથી નજીક બની રહેલી આ મૂર્તિ બંધથી દોઢગણી ઉંચી છે. આ પ્રતિમાં અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા બે ગણી ઉંચી છે.

10. ત્રણ વર્ષમાં જ આ પ્રતિમાનું દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા હોવાનું ટાઈટલ જતું રહેશે. મહારાષ્ટ્રમાં બની રહેલ છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલ પાસે આ ટાઈટલ જતું રહેશે.